dohad

પાટીદાર શૈક્ષણિક અને સામાજીક વિકાસ સંસ્થા આયોજીત માં દિકરી વચ્ચેના સ્નેહસેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ 52 લેઉવા પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે યોજાયો .

Published

on


મા દિકરી વચ્ચેના સ્નેહ સેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ મોટિવેશન સ્પીકર સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર જાગૃતિબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.
બાવન લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, મહિલા પ્રમુખશ્રી ,મંત્રીશ્રી દ્વારા ડોક્ટર જાગૃતિબેન પટેલ નું બુકે, સાલ અને મોમેન્ટો થી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું.
સરદાર પટેલ સ્કૂલ ની બાલીકાઓ દ્વારા પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુરુઆત કરવામાં આવી મોટિવેશન કાર્યક્રમમાં ડોક્ટર જાગૃતિબેન પટેલ 52 પાટીદાર સમાજ ના પ્રમુખ, મંત્રી વિકાસ સંસ્થાના પ્રમુખ, મંત્રી સમાજ ની વિવિધ સંસ્થાઓના પ્રમુખ, મંત્રીશ્રીઓ હોદ્દેદારો ,ડોક્ટર, સંસ્થાના શ્રેષ્ઠીશ્રીઓ સૌનું વિકાસ સંસ્થાના મંત્રીશ્રી કમલેશભાઈ દ્વારા શબ્દના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું..


પાલ્લા ગામના નીતીક્ષાબેન પટેલ દ્વારા પ્રસંગ ને અનુરૂપ પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ, વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી મોતીભાઈ દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરેલ,બાવન પાટીદાર સમાજ ના મંત્રીશ્રી કાન્તિલાલ પટેલ દ્વારા સૌનું સ્વાગત કરી આજના મોટિવેશન કાર્યક્રમ ને બિરદાવામાં આવેલ, ત્યારબાદ મોટિવેશન સ્પીકર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા માં દિકરી વચ્ચેના સ્નેહ સેતુથી ઉત્તમ સમાજનું નિર્માણ પ્રેરણાદાયી ઉર્જા પ્રેરક વાણી દ્વારા ઉત્તમ વાતો કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનો ખર્ચ વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી મોતીભાઈ પટેલ તરફથી આપવામાં આવેલ.
કાર્યક્રમ ના અંતે આભાર દર્શન સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ,કાર્યક્રમ પૂર્ણ થતા સૌ અલ્પાહાર લઈ છુટા પડ્યા.

Trending